Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ગોંડલના વિજયનગર સોસાયટીમાં ૯ દિવસે એકવાર પાણી વિતરણ

ગોંડલ તા.૧૧ : વિજયનગર સોસાયટીમાં નવ દિવસે પાણી આપવામાં આવે છે અને તે પણ એક જ કલાક પાણી વિતરણ થવાથી ત્યાંના લોકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જન્મી છે.

વિજયનગરમાં તળમાં પણ પાણી ન હોય તેથી ત્યાંના ડંકી બોરથી પાણી મળતુ નથી. વળી સુધરાઇના નળ વાટે ૯ દિવસે પાણી મળે છે તે પણ એક કલાક જ પાણી અપાઇ છે. તેમાં નવ દિવસ પાણી સંગ્રહ કરી શકાતુ નથી. ત્યાંના લોકોને વાપરવાનું તો ઠીક પણ પીવા માટે પણ નળના પાણીનો ઉપયોગ કરવો પડે છે ત્યારે આ સોસાયટીમાં યોગ્ય રીતે પાણી વિતરણ કરવા માંગણી ઉઠી છે.

(11:41 am IST)