Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પૂ.નાનાલાલજી મહારાજની ઉપસ્થિતીમાં પાટોત્સવનો પ્રારંભઃ સત્સંગ સભા

જુનાગઢ : શ્રી સ્વામી નારાયણ મુખ્ય મંદિરે આયોજીત પાટોત્સવની તસ્વીરી ઝલક. (તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

જુનાગઢ તા. ૧૧ :.. જુનાગઢ જવાહર રોડ સ્થીત શ્રી સ્વામી નારાયણ સુર્વણ મુખ્ય મંદિર ખાતે આજે સવારથી પૂ. નાનાલાલજી મહારાજ પુષ્પેન્દ્રપ્રસાદજીની ઉપસ્થિતીમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનો ૧૬મો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવી રહયો છે. જેમાં આજે સવારે પ.૩૦ મંગળા આરતી દર્શન દેવોનો અભિષેક યજ્ઞ નારાયણ દર્શન અને ત્યારબાદ સત્સંગ સભા યોજાઇ હતી. જેમાં નાનાલાલજી મહારાજે આશિવર્ચન આપ્યા હતાં. આ સત્સંગ સભામાં વડતાલ ગઢડા, ઘોલેરા વગેરે ધામેધામથી સંતો પધાર્યા હતાં.

ઉપરોકત તસ્વીરમાં સત્સંગ સભામાં આશિવર્ચન આપતા પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ તેમજ મંદિરના કોઠારી પ્રેમસ્વરૂપદાસજી તેમજ ભકિત પ્રકાશદાસજી સહિતના સંતો તેમજ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન રતિલાલભાઇ ભાલોડીયા, જાદવભાઇ ચાવડા, નંદલાલભાઇ બામટા સહિત ટ્રસ્ટી મંડળ અને હરિભકતો બહોળી સંખ્યામાં નજરે પડે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભકિત દર્શન સ્વામી સહિતના સંતો - હરિભકતો એ જહેમત ઉઠાવી હતી.

(1:57 pm IST)