Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જુનાગઢમાં ઇન્દ્રભારતીબાપુએ પોલીસ સાથે ધુળેટી પર્વ ઉજવ્યો

ભવનાથ તળેટી સ્થિત શ્રી રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી મહંત પુ. ઇન્દ્રભારતીબાપુએ ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ પી.વી. ધોકડીયા અને સ્ટાફ સાથે ધુળેટી પર્વ ઉજવ્યો હતો. ઉપરોકત તસ્વીર ર૪ કલાક પ્રજાની સલામતી અને કાયદો વ્યવસ્થા જાળવવાની જેમના શિરે  જવાબદારી છે તેવી ભવનાથ પો. સ્ટે.ના પી.એસ.આઇ. ધોકડીયા તથા સ્ટાફ સરળતા અને સહજતા પુર્વક એક બીજા ઉપર રંગ ઉડાડી  ધુળેટી પુર્વ ઉજવતા પુ. ઇન્દ્રભારતીબાપુએ આ પર્વની ઉજવણી કરી સૌને અચંબિત કરી દીધા હતા. ભવનાથની અંદર ધુળેટી રમતા આ સંત પહેલીવાર ધુળેટી રમ્યાનો અલભ્ય અવસર જોવા મળેલ હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:55 pm IST)