Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

પોરબંદરના મોઢવાડામાં હોળીની રાત્રીએ ગુમ બાળકની કુવામાંથી લાશ મળી

અકસ્માતે મોત કે અન્ય કારણ ? પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ : મેર મોઢવાડીયા પરિવારમાં કલ્પાંત

પોરબંદર, તા. ૧૧ : તાલુકાના મોઢવાડામાં હોળીની રાત્રીએ ૯ વર્ષનો ગુમ થયેલ બાળકની બીજે દિવસે ધૂળેટીએ વાડીના કુવામાંથી લાશ મળતા તહેવાર સમયે અરેરાટી વ્યાપી ગયેલ.

મોઢવાડામાં વાડીએ ગયેલ પ્રતીક કરશનભાઇ મોઢવાડીયા નામનો ૯ વર્ષનો બાળક ગુમ થયાં બાદ તેની લાશ બીજે દિવસે વાડીના કુવામાંથી મળી આવતા હોળી ધુળેટી તહેવારમાં મેર મોઢવાડીયા પરિવારમાં કલ્પાંત મચી ગયેલ. આ બાળકનું અકસ્માતે મોત કે અન્ય કારણ છે ? પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

બાળક ગુમ થયો તેની જાણ પરિવાર દ્વારા પોલીસ સ્ટશેનમાં કરવામાં આવી હતી ત્યારબાદ ધૂળેટીઓ વાડીમાં તપાસ કરતા કુવામાંથી ગુમ થયેલ બાળકની લાશ મળી આવી હતી. મરનાર બાળક વાડીમાં ગયા બાદ પગ લપસી જવાથી કે અન્ય કારણસર કુવામાં પડી ગયેલ... ? તે અંગે તપાસ થઇ રહી છે.

(1:33 pm IST)