Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કાલે દિલ્હીમાં યોજાનાર ધરણા મોકુફ જીલ્લા સર્કલ ઓફિસે યોજવા આદેશ

ઓલ ઇન્ડીયા BSNLDOT પેન્શનરોના

જામનગર તા. ૧૧ : ઓલઇન્ડિયા BSNL પેન્શનર્સ એસો.દ્વારા નિવૃત કર્મચારી તથા ફેમીલી પેન્શનર્સના નવિ દિલ્હી ખાતે આવતીકાલે યોજાનાર ધરણા (ભુખ હડતાલ)ની કાર્યક્રમ મોકુફ રાખેલ છે.

BSNL પેન્શનર્સને વેઇઝ રીવીઝનથી પેન્શન રીવીઝન ડીલીન્ક કરી તા.૩૧-૧ર/ર૦૧૬ સુધીનું મોઘવારી ભથ્થું (IDA) બેઈઝ પેન્શનમાં ઉમેરી BSNL મેજમેન્ટએ મંજુર કરેલ નવા પગાર ધોરણ મુજબ ૧પ% ફીટમેન્ટ સાથે તા.૦૧/૦૧/ર૦૧૭ થી પેન્શન રીવીઝન કરવાની માંગણી અંગે તા.૧ર/૦૩/ર૦ર૦ ના દિલ્હી ખાતે સંસદભવન માર્ગનો કાર્યક્રમ મોકુફ રહ્યો હોવાનું અને તેમજ તા.૧ર/૦૩/ર૦ર૦ના સેન્ટર હેડકવાર્ટર દ્વારા દરેક ડીસ્ટ્રીકટ બ્રાંચને તથા સર્કલ બ્રાંચને દરેક ડીસ્ટ્રીકટ તથા સર્કલની ઓફીસ સામે દેખાવો યોજવા આદેશ કરેલ હોવાનું મનુભાઇ ચનિયારા AIBDPA ના સેન્ટર હેડકવાર્ટરના સંગઠન મંત્રીએ જણાવેલ છે.

તેમજ ભારતભરમાં દરેક જીલ્લા મથકોએ BSNL ના નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સની સહી કરાવીની જુમ્બેસ તથા દરેક જીલ્લા મથકોએ BSNL ના નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સ વતી આગેવાનો દ્વારા માનન્ય સંસદસભ્યને માનન્ય વડાપ્રધાનને મોકલેલ આવેદનપત્રની નકલ સાથે કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરવા માટે આવેદનપત્ર આપવાની ઝુંબેશ ચાલુ રાખવી થોડા સમયમાં નવા કાર્યક્રમની જાણ ઓલ ઇન્ડીયા BSNL પેન્શનર્સ એશોસીએસનની સેન્ટર હેડકવાટર્ર દ્વારા કરાશે તેમ અંતમાં જણાવેલ છે.(

(1:32 pm IST)