Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ધોરાજીમાં આત્મજ્ઞાની પૂજય દિપકભાઈની જ્ઞાનવીધીમાં ર૦પ૦ નવા મુમુક્ષો હાજર રહી આત્મજ્ઞાન લીધું..

ધોરાજીમાં આત્મજ્ઞાની પૂજય દિપકભાઈના સાનીધ્યમાં યોજાયેલ ત્રિદિવસીય ભવ્ય પ્રશ્નોતરી સત્સંગ તથા જ્ઞાનવિધીનો ભકતસભર કાર્યક્રમ લેઉઆ પટેલ સમાજ, જમનાવડ રોડ, ધોરાજી ખાતે યોજાયો હતો. સૌરાષ્ટ્રના લોકોને આત્મસાક્ષાતકારનો વિજ્ઞાન પ્રયોગ માટે પધારેલ હોય ત્યારે નવા ર૦પ૦ મુમુક્ષો તથા જુના મહાત્માઓ મળીને કુલ પ૦૦૦થી વધુ લોકોએ આત્મજ્ઞાન લીધુંં હતું. સત્સંગમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા તથા પોરબંદરના સાંસદ રમેશ ધડૂક હાજર રહીને સત્સંગનો લાભ લીધો હતો. ક્રોધ-મન-માયા-લોભથી સંસારી માયામાં ભટકતું જીવન દાદાની પાંચ આજ્ઞાથી કેવળ મોક્ષ દ્વાર સુધી પહોંચવામાં ખુબ જ સહેલો માર્ગ હોય ત્યારે રાજકીય લોકોએ પણ તેનું શ્રવણ કરીને અલૌકીક વાતાવરણમાં પ્રવેશ કર્યો હોય તેવું લાગી રહ્યું હતું. (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા. ધોરાજી)(

(1:31 pm IST)