Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જામનગરમાં મંદિરોમાં કલરને બદલે ફુલોની પાંખડીથી ધુળેટી પર્વ ઉજવાયું

જામનગરઃ જામનગરમાં ધુળેટી પર્વે નિમિતે કોરોનાની દહેશતના પગલે મંદિરોમાં કલર ઉડાડવા પર પ્રતિબંધ જોવા મળ્યો હતો. જામનગરના શ્રી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિરમાં આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજની નિશ્રામાં ગુલાબની પાંખડીઓથી ધુળેટી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. સવારથી જ પરંપરાગત હોળીના ફાગગીતો ગાઈને ઉજવણી કરવામાં આવી હતી. તે પ્રસંગની વિવિધ તસ્વીરો.(તસવીરોઃ કિંજલ કારસરીયા,જામનગર)(

(1:23 pm IST)