Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

હળવદ પંથકમાં સરપંચ સહિત તમામ સભ્યોએ રાજીનામા ફગાવ્યાઃ

અંગત કારણો શું ? આમ આદમી પાર્ટી સક્રિય : બની કે સતત આક્ષેપબાજીથી કંટાળી હોદા છોડયા?

 હળવદ : તાલુકાના મયાપુર ગ્રામ પંચાયતના સરપંચ કાંતીભાઇ કણઝારીયા સહિત તમામ સાત સભ્યોએ રાજીનામા આપ્યા છે.

રાજકીય ગલીયારામાં ચાલતી ચર્ચા મુજબ ગામના અમુક લોકો સાથેના આંતરિક મતભેદો ને લીધે વિવિધ બાબતોને લઇને આક્ષેપ બાજીથી કંટાળીને રાજીનામા આપ્યાની વાત ચાલી રહી છે. જયારે બીજી એવી વાત પણ લોકો ચર્ચી રહ્યા છે. કે હળવદ તાલુકાના આમ આદમી પાર્ટીના આગેવાનો પણ આવનારી જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને લઇને સક્રિય થયા છે. તો સંભવતઃ આ પણ એક કારણ હોઇ શકે.

સત્ય ખરેખર જે હોય તે તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઇ રાવલે જણાવ્યું હતું કે મયાપુરના સરપંચ રાજીનામુ દેવા માટે આવ્યા હતાં. અને અંગત કારણોસર રાજીનામુ આપતા હોવાનું જણાવ્યું હતું.

(11:57 am IST)