Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

માંડવીમાં ધૂળેટી ઉજવી પરત પોતાને ગામ ફરતા બે યુવાનોનું અકસ્માતમાં મોત

કાર સાથે બાઇકની ટક્કર બની જીવલેણ

ભુજ તા. ૧૧ :કચ્છમાં ધુળેટીના સપરમાં દિવસે બનેલા લોહિયાળ માર્ગ અકસ્માતે બે યુવા જિંદગીનો ભોગ લીધો હતો. માંડવીથી ધૂળેટીનું પર્વ ઉજવીને પરત પોતાને ગામ ફરી રહેલા બે યુવાનોને કોઠારા ગામના પાદરે મોત ભેટી ગયું હતું.

આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક કરવા જતી વખતે આ યુવાનોની બાઈક સામેથી આવતી કાર સાથે ટકરાઈ હતી. કોઠારા બસ સ્ટેશન પાસે જ બનેલા અકસ્માતના આ બનાવમાં ૨૩ વર્ષીય રાજેશ લખુ ઓખરનું ઘટના સ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજયું હતું. જયારે ૨૨ વર્ષીય જેઠા ખીમજી સીજુ નામના યુવાનને ઘાયલ અવસ્થામાં સારવાર માટે ખસેડતી વખતે મોત નીપજયું હતું.

મૃતક યુવાનો કોઠારા પાસેના ત્રમબૌ અને જંગડીયા ગામના રહેવાસી હતા. એક સાથે બે યુવાનોના મોતને પગલે લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

(11:54 am IST)