Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

વિસાવદર પંથકમાં અમૃત મહોત્સવની ઉજવણી

વિસાવદર(યાસીન બ્લોચ દ્વારા) બરડીયા ગામે સ્વામિનારાયણ ગુરૂકુળ નીલકંઠ વિદ્યાલયમાં અમૃત મહોત્સવ ર૦ર૦ ની શાનદાર ઉજવણી થઇ હતી. સ્વામીનારાયણ નીલકંઠ ધામોમાં સંતો તથા ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાના વરદ્દ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ અમૃત સાગર સ્વામીએ પુષ્પગુચ્છ અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતા સંસ્થાની બાલિકાઓએ કાર્યક્રમની મંગલ શરૂઆત સ્વાગત ગીત સાથે સંતવૃંદ તથા મહેમાનોને આવકાર્યા હતા. શાળાની સત્રાંત પરીક્ષામાં અવ્વલ નંબર મેળવનાર બાળકોને શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. ગ્રામજનોએ સંસ્થાના પ્રમુખ પૂ.અમૃતસાગર સ્વામીને શાલ તથા પ્રશાસ્તિ પત્ર અર્પણ કરી બહુમાન કર્યું હતું. ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, ભરતભાઇ વિરડીયા,પૂ.શાસ્ત્રી કૃષ્ણ વલ્લભસ્વામી, પૂ.શાસ્ત્રી શ્રી કુંજ વિહારી સ્વામી, પૂ.શાસ્ત્રી શ્રી કૃષ્ણ સ્વામી, પૂ.શાસ્ત્રી આનંદ સ્વામીએ તમામ બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર મેળવી ભવિષ્યમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી ગામ સમાજ તથા સંસ્થાનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો. સમાજ શ્રેષ્ઠીઓ કરસનભાઇ વડોદરીયા, ઘનશ્યામભાઇ સાવલિયા, વિપુલભાઇ કાવાણી, ભરતભાઇ અમીપરા, સી.વી.જોશી, રજનીકાંત નાકરાણી, પંકજ સાવલીયા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પૂ.વિજયપ્રકાશ સ્વામીએ કર્યું સંસ્થાના આચાર્યશ્રી તથા સ્ટાફગણે સારી એવી જહેમત ઉઠાવી હતી.

(9:49 am IST)