Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

બે વર્ષથી દુષ્કર્મના કેસમાં રાજકોટ જેલમાં સજા કાપતા અને ફર્લો રજા લઈને ભાગેલા આરોપીને ભાવનગર એસઓજીએ રાજસ્થાનથી ઝડપ્યો

૨૦૧૫માં ભાણવડ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર કેસમાં પકડાયેલ :આરોપીને દશ વર્ષ ની સજા પડી હતી

ભાવનગર : ગુજરાત રાજ્યોની જેલોમાથી  પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૈાડએ ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ..જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ..જી. પોલીસને મળેલ બાતમી આધારે જામનગર જિલ્લાના ભાણવડ પો.સ્ટે. ફર્સ્ટ ગુ..નંબર ૩૯/૨૦૧૫  .પી.કો. કલમ ૩૭૬ (બળાત્કાર) ના ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા  કેદી નંબર ૪૫૭૪૪ કાનાભાઈ ખીખાભાઈ ચારોલિયા ( રહે,દેવલી તા. તળાજા જી. ભાવનગર ( ને  રાજસ્થાનથી ઝડપી રાજકોટ  જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે

 કેદી સને ૨૦૧૫માં ભાણવડ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર કેસમાં પકડાયેલ અને કેસ ચાલી જતાં આરોપીને દશ વર્ષની સજાપડતાં  કેદી રાજકોટ  મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતો હતો  અને તા. ૦૫/૦૫/૨૦૧૮ ના રોજ ફર્લો રજા મેળવી જેલ બહાર આવેલ  થયેલ અને રજા પુરી થતા મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને નાશી ગયેલ હતો જેને ભાવનગર એસ..જી. પોલીસે રાજસ્થાન રાજ્યના શિહોરી જિલ્લામાંથી પકડી પરત રાજકોટ  મધ્યસ્થ જેલ હવાલે કરવાની કામગીરી કરેલ છે.            

  કામગીરીમાં એસ..જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ..જી.સ્ટાફના હેડ કોન્સ. મહાવીરસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી તથા પો. કોન્સ મનદીપ સિંહ ગોહિલ, હારિતસિંહ ચૌહાણ  જોડાયા હતા.

(11:34 pm IST)