Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સુરતના સરથાણાના ચોરીના ગુન્હાનો વોન્ટેડ આરોપીને ભાવનગર એલસીબીએ ઝડપી લીધો

બાતમીના આધારે પાલીતાણાના મોડકડાના બસ સ્ટેશન પરથી પ્રજેશ ઉર્ફે રઘુને ઝડપી લીધો

 

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.હતી 

  સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો જેસર પોલીસ સ્ટેશન વિસ્તાદરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીમળેલ કે, સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશનના . ગુ...૩૬/૨૦૨૦ ના  ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પ્રજેશ ઉર્ફે રઘુ જગદિશ માણીયા (રહે. મોખડકા તા. પાલીતાણા)મોખડકાના બસ સ્ટેશન ઉપર છે બાતમી વાળી જગ્યા આવતા આરોપી મળી આવતા તેનું નામ સરનામું પુછતા પ્રજેશ ઉર્ફે રઘુ જગદીશ માણિયા/પટેલ ( ઉવ.૨૧ ) ( રહે મોખડકા ગામ તા. પાલીતાણા )હોવાનું જણાવતા આરોપીની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા તેને સી.આર.પી.સી. ૪૧() આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાંમાં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે સુરત સરથાણા  પોલીસ સ્ટેશનમાં .ગુર.. ૩૬/૨૦૨૦ઇ.પી.કો.૩૭૯(),૧૧૪ મુજબનો ગુન્હો નોઘાયેલ હોય પોલીસ ઇન્સ.સરથાણા પો.સ્ટે. જાણ કરવા તજવીજ કરાવમાં આવેલ છે.

  સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ તિરૂણસિંહ સરવૈયા  તથા પો.કો. શકિતસિંહ સરવૈયા  તથા કુલદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(8:45 am IST)