Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ધોરાજીમાં બુટલેગર દ્વારા રાવળ પરા વિસ્તારમાં પથ્થરમારો

ધોરાજીમાં જન્માષ્ટમી મેળાના મેદાન પાસે અને રાવલ ફળીયાના સ્થાનિક લોકો દેશી દારૂનો વેપલો બંધ કરવા માટે બે દિવસ પહેલા પોલીસ મથકે રજુઆત કરવામાં આવ્યું હતું. આ તકે દેશી દારૂનો વેપલો બંધ કરવામાં આવ્યો હતો અને આજ ખાર રાખીને બુટલેગર રાવળ પરા વિસ્તારના રહેતા મકાન પર ગત રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોતાનો દારૂનો વેપલો બંધ થવાથી રોષે ભરાઇને હુમલો કર્યો હતો. રાવળ ફરી વિસ્તારના લોકોએ રાત્રે પોલીસને જાણ કરાઇ અને તાત્કાલીક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઇ દેવામાં આવ્યો હતો પણ આ દેશી દારૂનો વેપલો કરનાર બુટલેગરો બન્યા બેફામ અને રાવળ પરા વિસ્તારના લોકોના ઘરો પર પથ્થરમારો કરાતા રાવળ પરા વિસ્તારના લોકોમાં રોષે પણ ભરાયા છે અને ડર પણ સતાવી રહ્યો છે અને આ બુટલેગરોને પોલીસનો કોઇ ખોફ રહ્યો નથી રહ્યો એવું લોકોને લાગી રહ્યું છે.

(1:15 pm IST)