Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાનો મંત્રીમંડળમાં સમાવેશ કરાતા ભાજપ દ્વારા ઉજવણી

જામનગર તા. ૧૧ : ૭૮ વિધાનસભાના ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજા (હકુભા) નો સમાવેશ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં કરવામાં આવેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ મંત્રીમંડળ નું વિસ્તરણ કરેલ. જેમાં જામનગરના ૭૮ વિધાનશભાના ધારાસભ્ય શ્રી ધમેન્દ્રસિંહ જાડેજા ને મંત્રીમંડળમાં સમાવેલ છે. તેઓએ રાજયપાલની સમક્ષ શપથ લીધેલ. જામનગરના ધારાસભ્યશ્રીનો સમાવેશ મંત્રીમંડળમાં થતા ભાજપ શહેર જામનગરમાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, તથા કાર્યકર્તાઓએ એક બીજા ને મીઠુંમોઢું કરાવી અતિશબાજી કરીઙ્ગ આ અવશરની ભવ્ય ઉજવણી કરેલ. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ શ્રી હસમુખભાઈ હિંડોચા એ પ્રસંગ ને અનુરૂપ ઉદ્દબોધન કરેલ. તેઓ એ પોતાના ઉદબોધન માં જણાવેલ કે આજરોજ ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન જામનગર ૭૮ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધમેન્દ્રસિંહ જાડેજાને મંત્રીમંડળમાં સમાવીશ કરેલ છે, તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનવામાં આવેલ.ઙ્ગ

આ તકે ભાજપ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, મંહામંત્રી વિમલભાઈ કગથરા, ધર્મરાજસિંહ જાડેજા, પ્રકાશ બામણીયા, જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, મહામંત્રી વિનોદ ભંડેરી,ઙ્ગ પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, મેયર હસમુખ જેઠવા, ડે મેયર કરસનભાઈ કરમુર, દંડક જડીબેન સરવૈયા, જાડા ના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, ડો.પી.બી.વસોયા, ઉપાધ્યક્ષ ગોપાલ સોરઠીયા, નારણભાઇ મકવાણા, મનહરભાઈ ત્રિવેદી, અશ્વિન પંડ્યા, જયેન્દ્રસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ સોઢા, વિનોદ ખીમસુરિયાં, વિજયસિંહ જેઠવા, મહિલા પ્રમુખ શારદાબેન વિંઝુડા, રીવાબા જાડેજા, જયોતિબેન ભારવાડીયા, મેઘનાબેન હરિયા, બીનાબેન કોઠારી, ક્રિષ્નાબેન સોઢા, મનીષ કટારીયા, દિલીપસિંહ જાડેજા, સહીત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.(તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)(

(1:14 pm IST)