Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જસદણના કાળાસરમાં મુકેશનું અગાસીએ જઇ અગ્નિસ્નાન

માનસિક બિમારી કારણભુતઃ કોળી યુવાન રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૧: જસદણના કાળાસરમાં રહેતાં મુકેશ ઘોહાભાઇ ધોળકીયા (ઉ.૨૭) નામના કોળી યુવાને સાંજે ઘરની અગાસીએ જઇ અગ્નિસ્નાન કરી લેતાં પરિવારજનોને જાણ થતાં આગ બુઝાવી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

મુકેશ ત્રણ ભાઇમાં વચેટ અને અપરિણીત છે. તેને વર્ષોથી માનસિક બિમારી હોઇ તેની દવા પણ ચાલુ હોવાનું અને આ બિમારીથી કંટાળી તે સળગી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે જસદણ જાણ કરી હતી.

(11:51 am IST)