Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ગોહિલવાડમાં કાળચક્ર ફરી વળ્યુઃ પાંચના મોત

ભાવનગર તા.૧૧: શહેર અને જિલ્લામાં અપમૃત્યુનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં ચા બનાવતા દાઢી ગયેલ બે મહિલા સહિત જુદા જુદા બનાવમાં પાંચ વ્યકિતઓના સર ટી હોસ્પિટલમાં મોત થયા હતા. ઉમરાળા તાલુકાના દડવા ગામે રહેતા ગીતાબેન ગુણવંતભાઇ પંડ્યા ઉ.વ.૫૩ નામની મહિલા તેના ઘરે ચા બનાવતા દાઢી જતા ઉપરાંત ગઢડા તાલુકાના ભંડારિયા ગામે રહેતા પરશોતમભાઇ મેરની પુત્રી, દયાબેન ઉ.વ.૨૪ ગત તા.૩ના રોજ તેના ઘરે ચા બનાવતા હતા ત્રે અકસ્માતે દાઝી જતા મોત થયું હતું.

અપમૃત્યુનાં અન્ય બનાવમાં વરતેજ તાબેનાં નવા રતનપર ગામે રહેતા રત્નાભાઇ ભાણાભાઇ સુમરા  ઉ.વ.૬૦ને જુના રતનપર ગામના પાટીયા પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર ઇજા સાથે મોત થયું હતું. આ ઉપરાંત વરતેજ તાબેના સોડવદરા ગામે રહેતા મુકેશ છનાભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦)નામના યુવાને કોઇ કારણોસર તેની વાડીએ જૈરી દવા પી લેતા મોત થયું હતું જયારે ધોલેરા તાલુકાના હેબતપુર ગામે રહેતા રણછોડભાઇ ભીમાભાઇ અંધારિયા (ઉ.વ.૫૮) ગત તા.૨ના રોજ તેના ઘરે અકસ્માતે પડી જતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

(11:50 am IST)