Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ધોરાજીઃ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાનું આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત

ધોરાજી તા.૧૧: ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણમાં માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાને કેબીનેટ મંત્રી પદનો શપથ ગ્રહણ કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયા બાદ માદરે વતન જૂનાગઢ આવતા રસ્તામાં ધોરાજીના આહીર સમાજ અને અગ્રણીઓ એ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાનું જેતપુર નજીકની હોટલ ખાતે ભવ્ય ઢોલ નગારાથી સન્માન કરેલ અને તેઓને હારતોરા અને પુષ્પ ગુચ્છો આપેલ આ તકે કેબીનેટ મંત્રી જવાહરભાઇને હારતોરા અને પુષ્પગુચ્છો આપી ધોરાજીના પુવા આહીર અગ્રણી હીરેનભાઇ વસરા, દિલીપભાઇ ચાવડા, રાજુભાઇ ડાંગર નિલેશભાઇ મકવાણા, વિપુલ ડાંગર, બાલાભાઇ પાઘડાર, પ્રવિણસિંહ જાડેજા, હરસુખભાઇ માકડીયા, રસીકભાઇ બારૈયા, નારણભાઇ ફુલ, નીતિનભાઇ ડાંગર, અશ્વિનભાઇ ચાવડા, વિક્રમભાઇ મેતા, દિનુભાઇ સીહાર, ભુપતભાઇ સીહાર, સહિતના અગ્રણીઓ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાનું હાઇવે પર ભવ્ય સન્માન કરી આવકારેલ આ તકે કેબીનેટ મંત્રીએ જણાવેલ કે માણાવદરને કેબીનેટ કક્ષાનો હોદ્દો મળતા વિકાસને વેગ મળશે. આ તકે આહીર સમાજના અગ્રણી લક્ષમણભાઇ વસરાએ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાને આવકારી શુભેચ્છાઓ આપેલ હતી.(૧.૩)

(10:16 am IST)