Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ગારીયાધાર ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા કાર્યકરોમાં નારાજગી

ધારાસભ્ય કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોનો જમાવડોઃનારાજગી સ્પષ્ટ વરતાય છે

ગારીયાધાર તા.૧૧: ગારીયાધારની સીટ પરથી ૧૯૯૫થી ભાજપમાંથી ચૂંટાઇ આવતા ધારાસભ્ય કેશુભાઇ નાકારાણીને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા ધારાસભ્ય કાર્યાલય ખાતે સમગ્ર તાલુકાના કાર્યકરો એકઠા થઇને નારાજગી વ્યકત કરવામાં આવી હતી.

છેલ્લી છ ટર્મથી ભાજપ પાર્ટી માંથી ચૂંટાઇ આવતા ગારીયાધારના સ્થાનિક ધારાસભ્ય કેશુભાઇ નાકરાણીને નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળતા ગારીયાધાર તાલુકાના ભાજપના કાર્યકરો ધારાસભ્ય કાર્યાલય ખાતે એકઠા થયા હતા જેઓ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા નારાજગી વ્યકત કરી હતી.

તેમજ તાલુકા પ્રમુખ વી.ડી. સોરઠીયા સહિતના આગેવાનો ગાંધીનગર ખાતે જવા રવાના થયા હતા. જયારે આ બાબતે ધારાસભ્ય કેશુભાઇ નાકરાણીને પુછતા તેમણે જણાવ્યું હતું કે તેમને પાર્ટીના નિર્ણય બાબતે કોઇ અસંતોષ નથી. પાર્ટી નિર્ણય સર્વોપરી હોય છે કાર્યકરોમાં નારાજગી છે તેઓ પોતે કાર્યકરોને મળી વાત કરશે તેમ જણાવ્યું હતું.

(9:53 am IST)