Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

મોરબીના રંગપર નજીક ફેક્ટરીમાં માટીના સાયલા તૂટી પડતા ત્રણ શ્રમિકો દટાયાની આશંકા:મામલતદાર સહિતની ટીમ સ્થળ પર દોડી

ગ્રીસ સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ: ત્રણ વ્યક્તિ દટાયા હોવાની આશંકાને પગલે રેક્સ્યું શરુ કરાયું

મોરબીના જેતપર રોડ પર રંગપર નજીક આવેલ સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં સિરામિક ફેક્ટરીમાં માટીના સાયલા તૂટી પડતા ત્રણ શ્રમિકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામા આવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રંગપર નજીક આવેલ ગ્રીસ સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં માટીના સાયલા તૂટી પડતા કામ કરી રહેલા શ્રમિકો દટાયા હતા માટીના સાયલા તૂટી જતા ત્રણ શ્રમિક દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બનાવની જાણ થતા મામલતદાર સહિતની ટીમ ફેક્ટરી ખાતે દોડી ગઈ હતી અને સાયલામાં ત્રણ વ્યક્તિ દટાયા હોવાની આશંકાને પગલે રેક્સ્યું શરુ કરવામાં આવ્યું છે જોકે હાલ કોઈ જાનહાની થયાના સત્તાવાર અહેવાલો પ્રાપ્ત થયા નથી

(8:25 pm IST)