Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

અમરેલી જીલ્લામાં સ્‍થાનીક સ્‍વરાજ્‍યની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે : પુર્વ મહામંત્રી કમલેશ કાનાણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૧ : સ્‍થનીક સ્‍વરાજ્‍યની ચુટણીઓમાં અમરેલી જીલ્લામાં કાર્યકર્તાઓનાં બળથી, સંગઠનની તાકાતથી જીલ્લામાં ભાજપનો ભગવો લહેરાશે તેમાં કોઇ શંકાને સ્‍થાન નથી તેમ કમલેશ કાનાણી પુર્વ મહામંત્રીએ જણાવ્‍યું હતું.

ચુટણીમાં કોંગ્રેસને બગાસુ ખાતા પતાસુ મળી ગયેલ, જેના કારણે કોંગ્રેસના ચુંટાયેલા લોક પ્રતિનિધીનાં અહંકારથી ૫ વર્ષમાં આમ જનતા, મતદારો ખુબ જ પરેશાન થયા, જેનો બદલો લેવાં અને કોંગ્રેસને પાઠ ભણાવવા જીલ્લાનાં મતદારોમાં અનેરો ઉત્‍સાહ છે.

ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાાટીલ.નાં નેતૃત્‍વમાં ગુજરાતનાં તમામ જીલ્લા તથા મંડલોમાં ભાજપનું સંગઠન ખુબ મજબુત છે. અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા તનતોડ મહેનત કરી રહ્યો છે. અને પરીણામ પણ તાકાતથી આપશે તેમજ રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારની અનેક વિધ યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડી અને વિકાસનાં નામે મત માંગી રહ્યો છે. અને સો ટકા અમરેી જીલ્લાની તાલુકા/જીલ્લા અને પાલીકામાં ભગવો લહેરાશે તેમ કમલેશ કાનાણીએ જણાવ્‍યું છે.

(1:53 pm IST)