Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ઉના : શિક્ષકોને કોરાના રસીકરણ

ઉના : કેશરીયા પે સેન્‍ટર શાળા પર તડ પીએચસી  કેન્‍દ્ર દ્વારા રસીકરણ કામગીરી અંતર્ગત શિક્ષકોને રસી આપવામાં આવી હતી. જેમાંથી અત્‍યાર સુધીમાં કોઇપણ શિક્ષકોને આડઅસર થયેલ ન હોવાના વિગત તડ પીએચસી.ના મેડીકલ ઓફીસર ડો. સુરેશભાઇ સોલંકી તેમજ ડો. કલ્‍પેશભાઇ ધાધલીયા દ્વારા આપવામાં આવેલ છે. લોકોમાં જાગૃતતા આવે અને ખોટી અફવાથી સતર્ક રહેવું જોઇએ. રસીકરણ કામગીરીમાં સહયોગએ પણ એક દેશસેવા છે તેવું ડો. સુરેશભાઇ સોલંકી દ્વારા જણાવ્‍યું છે. કોરાના વેકસીન કામગીરીની તસ્‍વીર (તસ્‍વીર : નીરવ ગઢીયા ઉના)

(12:12 pm IST)