Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

છૂટાછેડા બાદ એક વર્ષથી માતા સાથે રહેતી પાયલનો ફાંસો ખાઇ આપઘાત

મયુરનગરનો બનાવઃ માતા ધૂળ ધોવાનું કામ કરવા જવા મધરાતે જાગ્‍યા ત્‍યારે દિકરી લટકતી દેખાઇ

રાજકોટ તા. ૧૧: ભાવનગર રોડ પર રાજમોતી મીલ નજીક મયુરનગરમાં માતાના ઘરે રહેતી ત્‍યકતા યુવતિ પાયલ વિજયભાઇ સોલંકી (ઉ.વ.૨૫)એ રાત્રીના ઘરની ઓસરીમાં પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં થોરાળા પોલીસે ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પાયલ ત્રણ બહેન અને બે ભાઇમાં વચેટ હતી. તેના લગ્‍ નવ વર્ષ પહેલા થયા હતાં. પણ લોકડાઉનના આગલા દિવસે જ છુટાછેડા થઇ ગયા હતાં. એ પછી તેણી માતા જીણીબેન વિજયભાઇ સાથે રહેતી હતી. જીણીબેનના કહેવા મુજબ પોતે અને સંતાનો ધૂળ ધોવાનું કામ કરે છે. રાતે અઢી પછી બજારમાં ધૂળ વીણવા જવાનું હોઇ પોતે જાગ્‍યા ત્‍યારે ઓસીરમાં પાયલ લટકતી જોવા મળી હતી. આપઘાતનું કારણ તેઓ જાણતા ન હોવાનું કહેતાં પોલીસે તપાસ યથાતવ રાખી છે. હેડકોન્‍સ. આનંદભાઇ પરમાર અને ધર્મેશભાઇ ખાંડેખા વધુ તપાસ કર છે.

(12:10 pm IST)