Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ભાવનગરમાં નવા ૨ કોરોના પોઝીટીવ કેસ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૮૮ કેસો પૈકી માત્ર ૨૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૧ :  જિલ્લામા નવા ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્‍યા ૬,૦૮૮ થવા પામી છે. જેમાં તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે ૧ તથા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

મહાનગરપાલિકા વિસ્‍તારમાં કુલ ૨ કેસ મળી કુલ ૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્‍ત થતા તેને હોસ્‍પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્‍ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્‍વસ્‍થ જણાતા આ બન્ને દર્દીઓને હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્‍પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્‍પિટલામાથી ડિસ્‍ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા ૬,૦૮૮ કેસ પૈકી હાલ ૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્‍યાર સુધીમા કુલ ૫,૯૯૨ દર્દીઓને ડિસ્‍ચાર્જ કરવામા આવ્‍યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(12:05 pm IST)