Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

કેશોદના સરોડ ગામે અનાથ દિકરીના લગ્નમાં માવતરની હુંફ આપવા સમસ્‍ત ગ્રામજનો તત્‍પર : તમામ ખર્ચ ઉઠાવશે

(કિશોરભાઈ દેવાણી ધ્‍વારા) કેશોદ,તા.૧૧ : કહેવાય છે કે ગામડામાં હજુ પણ માનવતા જીવંતછે જે કહેવત સાર્થક કરવા જાણે સરોડના સમસ્‍ત ગ્રામજનોને સોનેરો અવસર મળયોછે જે અવસરને હરખથી વધાવવા સમસ્‍ત ગ્રામજનો રાહ જોઈ રહ્યાછે.

 મુળ પોરબંદરના વતની બ્રાહ્મણ ભરતભાઈ જયશંકરભાઈ મહેતા અને તેમના પત્‍ની દુર્ગાબેનને સંતાનમાં એક માત્ર દિકરી વિભુતી જેને લાડકોડથી પાલન કરવા સાથે આનંદ ઉલ્લાસથી નાનું પરિવાર જીવન જીવતા સમય જતાં વાર ન લાગી દિકરી ક્‍યારે મોટી થઈ કહેવાય છે કે વાડના વેલાની જેમ દિકરીની ઉંમર વધતાં વાર ન લાગે દિકરીના લગ્ન કરવાના કોડ સાથે પતિ પત્‍ની દિવસો પસાર કરતા હતા. જે નાના પરિવારમાં ચાર વર્ષ પહેલાં અમંગળ આફત આવી જેમાં વિભુતીનાા માતા દુર્ગાબેનનું દુઃખદ અવસાન થયું માતાની છત્ર છાંયા ગુમાવી વિભુતી અને પિતા ભરતભાઈ પરિવારમાં બે જ રહ્યાં સમય જતાં દશ મહિના પહેલાં વિભુતીના પિતા ભરતભાઈનું પણ અવસાન થતાં વિભુતીના માથે જાણે  આફતનું આભ ફાટયું લાડ કોડથી રાખતા માતા પિતાની છત્રછાંયા ગુમાવી વિભુતી અનાથ બની માતા પિતાના અવસાનના વિરહમાં ડુબેલી વિભુતી સરોડ ગામે રહેતા તેમના ફુવા મધુકાંત હરીશંકર વ્‍યાસના ઘરે રહેવા આવી જયાં ફઈ ફુવા તથા ફઈના દિકરા અને વિભુતી પરિવારની જેમ રહેવા લાગ્‍યા.

 સમય જતાં વિભુતીના સગપણની વાત થવા લાગી અને વિધાતાએ લેખ લખેલા હશે કેશોદમાં રહેતા મગનલાલ નાથાલાલ જોષીના પુત્ર ફાસ્‍ટફુડનો વેપાર કરતાં જસ્‍મીન સાથે ગત તા. ૨૪/૧ના રોજ સગાઈ થઇ લગ્નની તૈયારીઓ શરૂ કરી આગામી તા. ૧૪ રવિવારના રોજ લગ્ન ગ્રંથી જોડાવાનું નક્કી કરવામાં આવ્‍યુછે. જે બાબતે ગ્રામજનોને જાણ થઇ કે સરોડ ગામમાં જ ફુવાના ઘરે રહેતી વિભુતી અનાથ છે અને બ્રાહ્મણની દિકરી છે અને તેમના ફુવાની પણ આર્થિક પરિસ્‍થિતિ નબળી છે તો ગ્રામજનોએ પણ પોતાની ફરજ અદા કરવાનો નિર્ણય કરી અનાથ દિકરી એ આપણાં ગામની દિકરી સમજી ગ્રામજનોએ નક્કી કર્યું કે વિભુતીના લગ્નનો તમામ ખર્ચ ગ્રામજનો દ્વારા ઉઠાવવાનો નિર્ણય કર્યો જે નિર્ણયને સમસ્‍ત ગ્રામજનોએ સ્‍વીકાર્યો અને આવા અવસરને હરખથી વધાવવા સમસ્‍ત ગ્રામજનો રાહ જોઈ રહ્યાછે. ત્‍યારે અનાથ વિભુતીના લગ્નમાં તન મન ધનથી સાથ સહકાર આપી સમસ્‍ત ગ્રામજનો લગ્ન ગ્રંથીથી જોડાનાર નવદંપતીને આશિર્વાદ આપવા તત્‍પર થયાછે. જે અમુલ્‍ય અવસરની રાહ જોવા સાથે સમસ્‍ત ગ્રામજનો દ્વારા ફુલ નહી તો ફુલની પાંખડીરૂપી યોગદાન આપી અનાથ દિકરીના લગ્ન કરાવી સમસ્‍ત ગ્રામજનો ધન્‍યતા અનુભવશે સાથે અન્‍ય અનાથ પ્રત્‍યે અનેક લોકોને પ્રેરણા પુરી પાડી માનવતા જીવંતછે તે સમસ્‍ત સરોડના ગ્રામજનોએ ઉદાહરણ પુરૂ પાડી નવો રાહ ચિંદયોછે જે આજના સમાજમાટે આવકાર દાયક છે.

(12:03 pm IST)