Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં યુવતીનો ગળેફાંસો ખાઈને આપઘાત

પોલીસે 22 વર્ષીય ખ્યાતિ મુકેશભાઈ જાટીયાના મૃતદેહને પી.એમ. માટે મોકલી વધુ તપાસ હાથ ધરી

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ જાનકી વાસ શાક માર્કેટ પાસે 22 વર્ષીય ખ્યાતિ મુકેશભાઈ જાટીયા નામની યુવતીએ આપઘાત કરી લીધો છે. ખ્યાતિ નામની યુવતીએ ગળે સાડી બાંધી અકળ કારણોસર આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે.આ અંગેની જાણ થતાં જ 108ની ટીમે તાબડતોબ દોડી જઈને પોલીસને જાણ કરતા મૃતક ખ્યાતીના મૃતદેહને પી.એમ. માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. (તસવીર: કિંજલ કારસરીયા જામનગર)

(12:05 am IST)