Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ઇશા ફાઉન્ડેશન સર્વધર્મ સમૂહલગ્નોમાં હિન્દુ મુસ્લિમ સમાજના ૧૧૦૦ યુગલોએ ભાગ લીધો

એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ આયોજીત

વઢવાણ,તા.૧૧: એજયુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા આયોજિત ઈશા ફાઉન્ડેશનનો આઠમો સર્વધર્મ સમૂહલગ્નોત્સવ મા હિન્દુ અને મુસ્લિમ સમાજના ૧૧૦૦ યુગલો લગ્નબંધને બંધાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીતભાઈ ચાવડા ઉપરાંત ભારતીય જનતા પક્ષના મોટા નેતાઓ તથા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ ની હજરીમા યોજાયેલ સમારોહમાં દસાડા લખતર ના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી અને ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડાવાલા અને અમદાવાદ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શ્રી દિનેશભાઈ નું પણ સાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું.

અગિયારસો યુગલોના સમૂહ લગ્નમાં સર્વ ધર્મ સમભાવ ના દર્શન થયા હતા દરેક જ્ઞાતિના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જયારે લગ્નના માહોલમાં નાતજાતના ભેદભાવ ભૂલી અને ભાઈચારાની ભાવના ના દર્શન થતા હતા.કોંગ્રેસના અધ્યક્ષ શ્રી અમીતભાઈ ચાવડા તેમજ કોંગ્રેસના ધારાસભ્યો તેમજ પાટડી દસાડા તાલુકાના નવસાદ ભાઈ સોલંકીએ આ કોમી એકતાના માહોલને બિરદાવી અને આ સમૂહ લગ્નને અને તેના આયોજકોને બિરદાવી  અભિનંદન આપ્યા હતા.

(12:59 pm IST)