Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

માણાવદરના કડવા પટેલ દિવ્યાંગ મહિલા કંચનબેનનો એસિડ પી લઇ આપઘાત

પાંચેક વર્ષથી કમર-પગના દુઃખાવાથી પીડાતા હોઇ કંટાળીને પગલું

રાજકોટ તા. ૧૧: માણાવદરમાં પટેલ ચોક જુની માર્કેટવાળી શેરીમાં રહેતાં કંચનબેન કાંતિલાલ ઝાલાવડીયા (ઉ.વ.૪૮) નામના કડવા પટેલ મહિલાએ એસિડ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

કંચનબેને ગઇકાલે સવારે આઠેક વાગ્યે ઘરે એસિડ પી લેતાં માણાવદર, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ માણાવદર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનારને સંતાનમાં એક પુત્રી છે. પતિ કાંતિભાઇ પાનનો થડો ચલાવે છે. પરિવારજનોના કહેવા મુજબ કંચનબેન અને પતિ કાંતિભાઇ બંને દિવ્યાંગ છે. કંચનબેનને પાંચેક વર્ષથી કમર-પગના દુઃખાવો પણ થતો હોઇ દવા-સારવાર કરાવવા છતાં ફરક પડતો ન હોઇ કંટાળી જઇ આ પગલું ભર્યુ હતું.

(12:09 pm IST)