Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

દ્વારકામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

વ્યાસાસને ભાગવતાચાર્ય પૂ. ચેતનભાઇ સાતા : સમસ્તા રઘુવંશી સમાજના પિતૃઓના મોક્ષાર્થે તથા શ્રી લોહાણા મહાજનવાડી નવ નિર્માણના લાભાર્થે આયોજન

રાજકોટ તા. ૧૧ : દ્વારકામાં સમસ્ત રઘુવંશી સમાજના પિતૃઓના મોક્ષાર્થે  તથા શ્રી લોહાણા મહાજનવાડી દ્વારકાના નવ નિર્માણના લાભાર્થે તા. ૮ થી ૧૫ સુધી  બપોરે  ૩ થી ૭ દરમિયાન જુની ગૌશાળા પટાંગણ, કાનદાસબાપુ આશ્રમ રોડ , ભથાણ ચોક દ્વારકા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે.

વ્યાસાસને  ભાગવતાચાર્ય પ.પૂ. શાસ્ત્રી ચેતનભાઇ એસ.સાતા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.

શ્રીમદ ભાગવત કથામાં કાલે સાંજે ૪.૩૦ વાગ્યે શ્રીવામન જન્મોત્સવ સાંજે ૫.૩૦ વાગ્યે શ્રી રામ જન્મોત્સવ, રાત્રે ૧૨ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. 

તા. ૧૩ને સોમવારે સાંજે ૬:૩૦ વાગ્યે શ્રી ગિરીરાજ ઉત્સવ, તા. ૧૪ને મંગળવારે સાંજે  ૭:૩૦ વાગ્યે  શ્રીરૂક્ષ્મણી  વિવાહ, તા. ૧૫ને બુધવારે સાંજે ૪.૩૦ વાગ્યે  શ્રી પરિક્ષિત મોક્ષનો પ્રસંગ વર્ણાવાશે.

સપ્તાહ દરમિયાન દરરોજ સાંજે ૭ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી કથા સ્થળે પ્રસાદનું આયોજન કરાયુ છે.

તા. ૧૩ના અશોકભાઇ ભાયાણીના સુમધુર સ્વરે રામધુન કાર્યક્રમ રાત્રે ૧૦:૦૦ કલાકે  રજુ કરશે  તથા દિલ્લીથી પધારેલ વિશાલભાઇની ટીમ દ્વારા (૧) શિવ તાંડવની ઝાંખી (૨) કૃષ્ણ સુદામા ના મિલનની ઝાંખી (૩) સાંઇ બાબાની ઝાંખી કાર્યક્રમ રજુ કરાશે.

કાર્યક્રમને સફળ બનાવવા  શ્રી ઓખા મંડળ લોહાણા મહાજન, શ્રી દ્વારકા લોહાણા મહાજન, શ્રી ઓખા લોહાણા મહાજન , શ્રી સુરજકરાડી લોહાણા મહાજન , શ્રી મીઠાપુર લોહાણા  મહાજન , શ્રી ભાટીયા લોહાણા મહાજન , શ્રી કલ્યાણપુર લોહાણા મહાજન , શ્રી લાંબાબંદર લોહાણા  મહાજન , શ્રી રાવલ લોહાણા મહાજન , શ્રી ખંભાળીયા લોહાણા મહાજન , શ્રી દ્વારકા ગૌશાળા સંચાલક સમિતી , શ્રી લોહાણા મહિલા મંડળ દ્વારકા, શ્રી રઘુવંશી શોશ્યલ ગ્રુપ દ્વારકા , શ્રી રઘુવીર સેના દ્વારકા , શ્રી લોહાણા શાક માર્કેટ ગ્રુપ દ્વારકા , શ્રી લોહાણા હોટેલ  એશોશિએશન દ્વારકા , શ્રી લોહાણા પત્રકાર એસોશીએશન  દ્વારકા , શ્રી લોહાણા વકીલ મંડળ, દ્વારકા , શ્રી શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ , દ્વારકા , શ્રી દ્વારકા નગરપાલિકા, દ્વારકા , શ્રી યુવા રઘુવંશી ગૃપ, દ્વારકા , શ્રી રઘુવંશી ટેકસી એશોશીએશન ગ્રૃપ , દ્વારકા , શ્રી જલારામ ભકત, દ્વારકા , શ્રી લોહાણા મહાજન , દ્વારકા , શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રૃપ / જલારામ મંદિર દ્વારકા , શ્રી લોહાણા મહાજન , ઓખા , શ્રી સમસ્ત ભાયાણી પરિવાર , દ્વારકા , શ્રી શ્રવણ ભકત , દ્વારકા , શ્રી સમસ્ત વિઠ્ઠલાણી પરિવાર - દ્વારકા સહિતની ટીમ જહેમત ઉઠાવે છે.

વધુ વિગત માટે અરવિંદભાઇ રાયમંગીયા - ૮૮૪૯૬૩૯૪૬૩, રાજુભાઇ હિન્ડોચા - ૯૮૯૮૧૪૮૧૫૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૭.૩)

(3:19 pm IST)