Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જસવંતરાય કાનાબારની ચિર વિદાય : વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ આપી અંજલી

અમરેલી લોહાણા સમાજના કારોબારી અધ્યક્ષ-સીનીયર ધારાશાસ્ત્રી : અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં અગ્રણીઓ-લોકો જોડાયા : ઘેરો શોક

અમરેલી : અમરેલી જીલ્લાના સીનિયર ધારાશાસ્ત્રી, લોહાણા મહાજન સમાજના કારોબારી અધ્યક્ષ અને વર્ષોથી વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા સ્વાધ્યાયી 'જસવંતરાય કાનાબાર'નું તા. ૧૦ ને ગુરૂવારના રોજ નિધન થયું છે. તેઓ અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઇ કાનાબાર (એમ.એસ.) તથા પ્રકાશભાઇ કાનાબાર (એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ)ના પિતાજીની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન 'ઇશાવાસ્યમ' બસ સ્ટેશન સામે, અમરેલીથી નીકળી હતી. જેમાં વિવિધક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા અને અંજલી આપી હતી.

(4:28 pm IST)