Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જેન્તી ભાનુશાળીના હત્યારા સુધી પોલીસ પહોંચી ગઇ? : ટુંકમાં જ ધડાકો

જેન્તીભાઇની બેગમાં સીસી અને જમીનના કાગળો હતા, હત્યારા એકને બદલે બીજી બેગ લઇ નાઠા : સીસીટીવી ફૂટેજથી ભેદ ઉકેલવામાં મદદ

ભુજ તા. ૧૧ : જેન્તી ભાનુશાલીની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ છે એવુ વિસ્વનીય સૂત્રો માં થી જાણવા મળે છે. એકાદ દિવસમાં જ પોલીસ જેન્તી ભાનુશાલીના હત્યારાઓ સુધી પહોંચી તેમની ઓળખ જાહેર કરે તેવું જાણવા મળી રહ્યું છે. હત્યાનો ભેદ ઉકેલવામાં સીસી ટીવી મહત્વપૂર્ણ રહ્યું છે. પોલીસે હત્યા બાદ જેન્તીભાઈની બેગ લઈને નાઠેલા હત્યારાઓને ઓળખી લીધા છે. હત્યારાઓ જેન્તીભાઈને બદલે અન્ય પ્રવાસી પવન ની બેગ લઈને નાઠા હતા. દરમ્યાન હત્યા બાદ પોલીસ તપાસ દરમ્યાન જેન્તીભાઈની બેગમાં સેકસ કાંડ ને લગતી સીડી તેમ જ જમીનના દસ્તાવેજો મળી આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેન્તીભાઈની હત્યા પહેલા મનીષાની મુંબઈની મુલાકાત ૩ જી જાન્યુઆરીએ ભુજ એરપોર્ટ ઉપર અજાણ્યા માણસો સાથે મનીષા ઉતરી તે બધી જ વિગતો ને પોલીસ ચકાસી રહી છે. આ ઉપરાંત મનીષાનો મોબાઈલ ફોન જેન્તીભાઈની હત્યાના બે દિવસ પહેલાં થી જ બંધ છે. ગુનામાં મનીષા ગોસ્વામી આરોપી હોઈ પોલીસ તેની પૂછપરછ કરવા માંગે છે પણ મનીષા નો કયાંયે અતોપતો નથી.

જોકે, પોલીસ માની રહી છે કે, મનીષા સાથે મુંબઈથી ભુજ આવેલા અજાણ્યા શખસોનો જેન્તીભાઈની હત્યામાં હાથ હોઈ શકે છે. આ આખો મામલો ગંભીર હોઈ રાજયના ડીજીપી શિવાનંદ ઝા ખુદ તેની ઉપર નજર રાખી રહ્યા છે. એકાદ દિ' માં જ પોલીસ હતયરાઓની ઓળખ છતી કરી ભેદ ખોલી નાખશે એવી શકયતા છે

 

(3:51 pm IST)