Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

વાંકાનેરમાં ગોપાલક યુવા સંગઠન દ્વારા માલધારી યુવાનોને પગભર થવા ૫૧ વાહનો અર્પણ કરાયા

વ્યાજ અને ડાઉનપેમેન્ટ વગર અપાયા વાહનોઃ મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકોની હાજરી

વાંકાનેરમાં માલધારી સમાજના યુવાનો સરળતાથી રોજગારી મેળવી શકે તેવા ઉમદા હેતુ સાથે ગોપાલક યુવા સંગઠન દ્વારા પીકઅપ વેન વિતરણ કરવાનો કાર્યક્રમ તથા મચ્છુમા મંદિર શિખરે ધ્વજારોહણનો કાર્યક્રમ મંદિરના સાનીધ્યામાં યોજાયો હતો. જેમાં ગોપાલક કુમાર છાત્રાલયના સંચાલક ડાયાભાઇ સરૈયા, કવાભાઇ ગોલતર ખાસ હાજર રહ્યા હતાં. ભરવાડ સમાજના યુવાનોને કોઇપણ જાતના વ્યાજ વગર ડાઉન પેમેન્ટ વગર ઇકો, યુટીલીટી, બોલેરો જેવા ૫૧ વાહનો અર્પણ કરવામાં આવ્યા હતાં. તાલુકાભરમાંથી માલધારી સમાજના લોકો હાજર રહ્યા હતાં.

(12:25 pm IST)