Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

ખંભાળા ગામે પતિએ પિયર જવાની ના પાડતા પરિણીતાએ વખ ઘોળ્યું

બાબરાઃ  નાયબ પોલીસ અધિક્ષક  આર.ડી. ઓઝાના જણાવ્યા મુજબ તા. ૮ ના બપોરે ખંભાળા સીમ વિસ્તારમાં પરણીત મહિલા દક્ષાબેન સાગરભાઇ ઝાપડીયા (ઉ.વ.રપ)  રહેઃખંભાળાને પિયરમા આંટો મારવા જવુ હતુ પરંતુ તેમના પતિ સાગરભાઇ બીજલભાઇ  ઝાપડીયા દ્વારા  હાલ ખેતીકામની મોસમ ચાલુ હોય તેમ જણાવી પિયર જવાની ના પાડી હતી. જે બાબતે લાગી આવતા મહિલાએ ઝેરી દવા પી લીધી હતી. મહિલાને સારવાર માટે ખસેડવામા આવી હતી જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતુ.

(12:35 pm IST)