Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મોરબીના શકતશનાળા શક્તિધામમાં ૯૪૪ દીવાની મહાઆરતી અને ૫૬ ભોગ પ્રસાદનું આયોજન કરાયું

મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણી, ભાઈ અને બહેનો જોડાયા

મોરબીના શકત શનાળા ખાતે આવેલા શક્તિધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલા રાજવંશના કુળમાતા શક્તિદેવીના ૯૪૪માં જન્મોત્સવ નિમિત્તે તલવાર બાજી ટીમ દ્વારા ૯૪૪ દિવાની મહાઆરતી સાથે ૫૬ ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું.
  આ મહા આરતી દરમિયાન મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણી
ભાઈ અને બહેનો જોડાઈને માં શક્તિની આરાધના કરી હતી. તેમજ સાથે સાથે ૫૬ ભોગ પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તલવાર બાજી ટીમના અગ્રણી ધમભા ઝાલાએ જણાયું હતું કે શનાળા શક્તિધામ ઉપરાંત અન્ય ૨૩ ગામોમાં પણ માતાજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

(2:38 pm IST)