Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

જામનગરમાં નવા કૃષિ બીલ અંગે ખેડૂતોને માર્ગદર્શિત કરતા ધારાસભ્ય પુનમબેન માડમ

જામનગર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં, ખેડુતોને ખરા અર્થમાં આઝાદી સાથે આત્મનિર્ભરતા અને મજબૂતી પ્રદાન કરનારા, કૃષિ સુધારા બિલના ક્રાંતિકારી પગલાની સમજણ આપવાના ભાગરૂપે, જામનગર તાલુકાના ગાગવાધાર અને મોટી ખાવડીમાં, ધારાસભ્ય શ્રી રાઘવજીભાઇ પટેલ, જાડા ના પુર્વ ચેરમેન શ્રી દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ મહામંત્રી ડો. વિનુભાઇ ભંડેરી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકુંદભાઇ સભાયા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ જાડેજા, જિ.પં.સભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા, તાલુકા ભાજપ પુર્વ મહામંત્રી શ્રી કુમારપાળસિંહ રાણા સાથે, ખેડૂતો સાથે પરામર્શ યોજી, નવા કાયદાની વિસ્તૃત સમજણ આપી, આ ઐતિહાસીક જોગવાઇઓ દ્વારા બમણી આવક કરી રાષ્ટ્રની પ્રગતિ અને અર્થતંત્રની વધુ ગતિશીલતાના સહભાગી બનવા શુભકામનાઓ પાઠવી.

(10:12 am IST)