Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જામરાવલમાં હાથી પરિવાર દ્વારા શ્રીમદ્ભાગવત કથા યોજાઇઃ રકતદાન કેમ્પ યોજાયા

જામરાવલ તા. ૧૦ :.. રાવલ ગામે તુલસીદાસ જેઠાલાલ હાથી પરિવાર મારફત રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેની ખાસ બાબત એ હતી કે હાથી પરિવારના રાજેશભાઇ હાથીએ પ્રથમ રકતદાન કરી, રકતદાન કેમ્પની શરૂઆત કરી હતી.

આ રકતદાન કેમ્પમાં કુલ ૧૦,પ૦૦ સીસી રકત એકત્ર થયું હતું. જેને સફળ બનાવવા શ્રી યોગેશભાઇ જોશી, ડો. હિતેષભાઇ મશરૂ, તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

જવેરબેન જેઠાલાલ હાથી પરિવાર મારફત રાવલ ગામે શ્રી બાલકૃષ્ણ હવેલી ખાતે દર વર્ષના ભાદરવા મહિનામાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે, જેને પ૦ વર્ષ પુર્ણ થયા છે. દર વર્ષે પરંપરાગત રીતે ભાગવત સપ્તાહની પુર્ણાહૂતિ પ્રસંગે સંત શ્રી રમેશભાઇ ઓઝા ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવે છે, શ્રીમદ ભાગવત સપ્તાહના આચાર્યપદે રાકેશભાઇ લહેરુ બિરાજયા હતાં. (પ-૯)

(12:45 pm IST)