Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

નવરાત્રીમાં વ્યસન નામના રાક્ષસનો નાશ કરવા સંકલ્પ લઇએઃ ફાલ્ગુની પાઠક

કોડીનારના પ્રતિનિધિ સાથે મુંબઇમાં મુલાકાત

કોડીનાર તા.૧૦: આજથી શરૂ થતા નવલા નોરતા નવરાત્રી પર્વ નિમિતે ગરબા કવીન ફાલ્ગુની પાઠકે સમગ્ર દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતી ગરબાને દેશ વિદેશમાં લોકપ્રીય કરનાર અને પોતાના સુરીલા કંઠે યુવા હૈયાઓને ઝૂમતા કરનાર ગરબા કવીન ફાલ્ગુની પાઠકે મુંબઇ પ્રમોદ મહાજન સ્પોટ્ર્સ કોમ્પ્લેક્ષ ખાતે વેલકમ નવરાત્રી ૨૦૧૮ના કાર્યક્રમમાં આપેલી ખાસ મુલાકાતમાં સમગ્ર દેશવાસીઓને નવલા નોરતાના તહેવાર નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી.

આ નવરાત્રીએ વ્યસન નામના રાક્ષસનો નાશ કરવા સંકલ્પ કરી યુવાધન વ્યસન મુકત બની અને સ્વચ્છતા અભિયાન ચલાવી નિરોગી દેશનું નિર્માણ કરવા દેશવાસીઓને સંદેશ પાઠવી દેશવાસીઓની સુખશાંતિ માટે નવરાત્રી પર્વે માતાજીને પ્રાર્થના કરી હતી.(૧૭.૪)

(12:08 pm IST)