Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

રાવકીના રાણીબેન ભરવાડનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૦: લોધીકાના રાવકી ગામમાં રહેતાં રાણીબેન થોભણભાઇ ચીરોડીયા (ઉ.૬૫) નામના ભરવાડ વૃધ્ધાને ગેસની તકલીફ હોઇ તા.૨ના રોજ ખાનગી દવાખાને સારવાર લીધા બાદ ઘરે જતાં રહ્યા પછી ગઇકાલે ફરી તબિયત બગડતાં બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ આજે વહેલી સવારે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે લોધીકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર ઇન્દુભાઇ અને પાંચ પુત્રી છે. બનાવથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(12:07 pm IST)