Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

હળવદના તાલુકાના રણજીતગઢ ગામ હરિકૃષ્ણ ધામ ખાતે પિતૃ શાંતિ યજ્ઞ

હળવદ- ભાદરવો મહિનો એટલે પિતૃઓનો મહિનો અને પિતૃ મોક્ષ અથે દ્યણા લોકો યજ્ઞ યજ્ઞાદિ પિતૃ તર્પણ કરે છે અને મનની શાંતિ મેળવે છે આચાર્યશ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ના આશીર્વાદથી તેમજ સદગુરુ વિજ્ઞાન દાસજી સ્વામીની દિવ્ય પ્રેરણાથી તેમજ તપોમૂર્તિ ભકિત હરિદાસજી સ્વામી ના શુભ સાનિધ્યમાં પિતૃ શાંતિ યજ્ઞ હળવદ તાલુકાના રણજીતગઢ ગામ પાસે આવેલા હરિકૃષ્ણ ધામ ખાતે યોજવામાં આવેલ જેમા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધિથી પિતૃ શાંતિ યજ્ઞ કરવામાં આવેલ આ યજ્ઞમાં સજોડે ૭૦ થી પણ વધારે દંપતી જોડાયા હતા પિતૃ શાંતિયજ્ઞની તસ્વીર( તસવીર- હરીશ રબારી. હળવદ)

(11:39 am IST)