Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મોરબીમાં રધુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ

 મોરબી, તા.૧૦: શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરેલ છે જેમાં લોહાણા જ્ઞાતિના ધોરણ ૯ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ એન્ટ્રી ફોર્મ ભરી શકશે અને પ્રથમ તેમજ દ્વિતીય ક્રમના તેજસ્વી તારલાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાશે  વિદ્યાર્થી સન્માન સમારોહમાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ફોર્મ મેળવવા માટે મનોજ ઝેરોક્ષ કુબેરનાથ રોડ, જલારામ ટ્રેડીંગ ગાંધીચોક ખાતે સંપર્ક કરવો અને ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૩-૦૯ હોવાનું જણાવ્યું છે સન્માન સમારોહ તા. ૨૩-૦૯ ને રવિવારે સાંજે ૦૫:૩૦ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મોરબી ખાતે યોજાશે તેમ રઘુવંશી યુવક મંડળની યાદીમાં જણાવ્યું છે.

(4:53 pm IST)