Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અમરેલીના ચાંદગઢમાં ખેડૂતે ધિરાણની ચિંતામાં આપઘાત કર્યો :પરેશ ધાનાણી

ખેડૂત ભરતભાઇ ખુમાણના આપઘાત બાદ પત્નીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અમરેલી :અમરેલીના ચાંદગઢમાં ખેડૂતે ધિરાણની ચિંતામાં આપઘાત કર્યાનો આક્ષેપ થયો હતો.ત્રણ દિવસ પહેલા ખેડૂતે આપઘાત કર્યો છે.નબળા વર્ષના કારણે ધિરાણની ચિંતામાં ખેડૂતે આપઘાત કર્યાનો આરોપ મુકાયો હતો. ખેડૂતના આપઘાત બાદ પત્નીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

  અમરેલીના ચાંદગઢમા ત્રણ દિવસ પહેલા ખેડૂતે ઝેર ગટગટાવ્યું હતું. પ્રૌઢ ખેડૂતનું ૩ દિવસ પહેલા જ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. નબળા વર્ષના કારણે ધિરાણની ચિંતામા પગલું ભર્યુ હતું. ભરતભાઇ ખુમાણ નામના ખેડૂતે આ પગલું ભર્યુ હતું. જો કે  તેમનાં પુત્રએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને વિગત નોંધાવી હતી.

(9:30 pm IST)