Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

મોરબી પંચાસર ચોકડીએ વારંવાર વાહનોની હડફેઠે પશુઓ

મોરબીઃ મોરબીના ભકિતનગર સર્કલથી નવલખી ફાટક સુધીનો બાયપાસ રોડ પહોળો કરીને નવો બનાવ્યો હોય જે નવા રોડ બન્યા બાદ પુરપાટ દોડતા વાહનો નિર્દોષ પશુઓને ઠોકરે ચડાવી રહ્યા છે અને અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે જેથી સ્થાનિક વેપારીઓએ રોડ પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરી છે. મોરબીની પંચાસર ચોકડીએ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં ચાર પશુઓના વાહનની ઠોકરે મોત થયા છે પુરપાટ વેગે દોડતા વાહનો રાત્રીના અંધકારમાં પશુઓને અડફેટે લે છે જેથી નિર્દોષ જીવોના ભોગ લેવાય છે અને અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે એકાંતરા એક પશુનં મોત થાય છે જેથી જીવદયાપ્રેમીઓમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે જેથી અહી વેપાર ધંધો કરતા વેપારીઓએ સ્પીડ બ્રેકર મુકવામાં આવે અને આવા અકસ્માતો અટકાવાય તેવી માંગ કરી છે.

(11:42 am IST)