Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

સુરેન્દ્રનગર સરકારી વાહનો સડી રહ્યા છેઃ જવાબદાર અધિકારીઓ મૌન !!

બી આર સી ભવનમાં પડેલા વાહનો હરરાજી કરી વેચાણ કરવા કોઇને રસ નથી !!

વઢવાણ તા. ૧૦ : સરકાસરમાં કહેવત અનુસાર આધળીદળે અને સાનીખાપ આવોઘાટ સરકારી તંત્રમાં જોવા મળતો હોય છે. ત્યારે સુરેન્દ્રનગર બી.આર.સી.ભવનમાં અધિકારીઓને બેસાડી મજીલ પાર કરાવતા બે વાહનો છેલ્લા ઘણાજ સમયથી સડી રહ્યા છ.ે

આ વાહનો નવા ફાળવ્યા બાદ જુના વાહનો ચાલુજ કંડીશનમા જયારે મુકાય છે. ત્યારે તેની કિંમત રકમ પણ હરાજીમાં સારી મળતી હોય છે ત્યારે આની કાર્યવાહી કરવામાં આવતી નથી.

પરંતુ જયારે વાહનો કાટમાળ બની જાય ત્યારે બંધ હાલતમાં સામાન્ય રકમમાં હરરાજી કરાતી હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે ત્યારે આ વાહનો આ રીતે બદતલ કરી અને કાટમાળ બની રહેલા તસ્વીરમાં જોવા મળી રહ્યા છ.ે સરકારી તંત્ર કયારે આનો નિકાલ કરશે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

(11:35 am IST)