Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

મોરબીના પીપળીયા ચોકડી પાસે રેલ્વે ફાટક નજીક પેસેન્જર ટ્રેનની ઠોકરે માળિયાના યુવાનનું કરૂણમોત

 

મોરબીના પીપળીયા ચોકડી પાસેની રેલ્વે ફાટક નજીક પેસેન્જર ટ્રેનની ઠોકરે ચડી જતા અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું છે

ગાંધીધામ બાંદ્રા ટ્રેન  મોરબીના પીપળીયા ચોકડી પાસેની ફાટક પાસે પહોંચી ત્યારે રેલ્વે ટ્રેક પરથી ચાલીને જતો ૩૦ થી ૩૫ વર્ષની ઉમરનો યુવાન ટ્રેનની ઠોકરે ચડી જતા મોત નીપજ્યું છે જે બનાવને પગલે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી મોરબી તાલુકા પોલીસના જશપાલસિંહ અને અરવિંદભાઈની ટીમે વધુ તપાસ ચલાવી હતી

  મૃતક યુવાન લાખાભાઈ ઉર્ફે ડાડો જાનમહમદ ભટ્ટી (..૩૪) રહે માળિયા વાળો હોવાનું અને યુવાન મજુરી કરતો હોવાનું જાણવા મળ્યું છે તેમજ યુવાન અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી જતા મોત થયાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(11:56 pm IST)