Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

અમરેલીમાં બંધની કોઇ અસર નહી

અમરેલી :ઓબીસી વર્ગ અને સુવર્ણ જાતીના વિવિધ સંગઠનોએ ભારત બંધના એલાનમાં અમરેલીમાં કોઇ અસર જાવા મળી ન હતી. સવારથી જ અમરેલી શહેરમાં મુખ્ય બજારો જેવી કે ટાવર રોડ, હરી રોડ, કંસારા બજાર, કાપડ બજાર, સ્ટેશન રોડ, સહિતના વિસ્તારો ખુલ્લા રહ્યા હતા અને બજાર પણ રાબેતા મુજબ ધમધમતી હતી. બંધના એલાનના કારણે શહેરમાં પોલીસ એલર્ટ કોઇ જાતનો અનિચ્છનીય બનાવ બંધના એલાન દરમ્યાન  બન્યો નથી. જીલ્લાના તાલુકા મથકોએ બંધની પણ કોઇ અસર જોવા મળી ન હતી. (તસ્વીર - અહેવાલ :અરવિંદ નિર્મળ -અમરેલી)

(1:21 pm IST)