Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

૬ બોટ સાથે ૩૬ માછીમારોના પાકિસ્‍તાન દ્વારા અપહરણ ?

પોરબંદર, તા. ૯ : પાકિસ્‍તાન મરીન સિકયુરીટી એજન્‍સી દ્વારા ૬ બોટ સાથે અપહરણ કર્યાની ચર્ચાએ જોર પકડયું છે.૧-એપ્રિલના રોજ એક બોટ સાથે ૬ ખલાસીઓનું અપહરણ કર્યું હતું અને તેની કોઇ પણ પ્રકારની જાણકારી મળી નથી ત્‍યારે ફરીવાર પાકિસ્‍તાને માછીમારોના અપહરણ કરતા સનસનાટી મચી ગઇ છે.આ બોટના માછીમારો સાથે અપહરણ થયાની માછીમારોમાં ભારે ચર્ચા જાગી છે.

(1:09 pm IST)