Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

ક્રુરતાની પરાકાષ્‍ટ્રનો કિસ્‍સો : ગોંડલના પારખીલોરી ગામે નિર્દોષ ગાયને ત્રણ શખ્‍સોઅે ઝાડ સાથે બાંધીને લાકડીઅે ફટકારતા મોત : પોલીસ પુછપરછમાં આરોપીઅે સત્‍ય વાત જણાવી

ગોંડલ તાલુકાનાં પાટખિલોરી ગામે ત્રણ દિવસ પહેલાં ખોવાયેલી ગાયની ક્રૂર હત્યાં કરાતાં બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરી ત્રણ શકમંદોનાં નામ આપતાં પોલીસે તપાસ હાથધરી છે. પાનખિલોરીમાં અગાઉ પણ એક ગાયની હત્યા થવા પામી હતી.

મળતી માહિતી પ્રમાણે તાલુકાના પાટખિલોરી રહેતા ભરવાડ વશરામભાઇ રાણઆભાઇ મુંધાવી ગાય ત્રણ દિવસ પહેલાં સાંજના ગુમ થયાં બાદ નદીં કાંઠે બાવળની ઝાડીમાં હત્યા કરાયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતાં વશરામભાઇએ તાલુકા પોલીસમાં જાણ કરી હતી.

ફરિયાદમાં બે પાટખિલોરી તથા એક દેરકીનાં શખ્સોનાં નામ અપાયા છે. ગાયને ઝાડ સાથે બાંધી આ શખ્સોએ લાકડીઓનાં ઘા મારી ગાયની હત્યા કર્યાનું પણ જણાવાયું છે. અલબત ગાયમાતાની હત્યા અંગે પોલીસે કોઇની ધરપકડ કરી નથી. પીએમ રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે તેવું પોલીસ જણાવી રહી છે.

(1:53 pm IST)