Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

સોમનાથના કોંગી ધારાસભ્‍ય વિમલ ચુડાસમાઅે જોશભેર કહ્યું હું કોગ્રેંસનો વફાદાર સૈનિક છું : પ્રજાનો વિશ્‍વાસ નહિ તોડુ

મોરબીઃ લોકસભાની ચૂંટણી નજીક આવતા સત્તાઘારી ભાજપ પક્ષે કોંગી ઘારાસભ્યો પર સ્ટ્રાઇક કરી એક પછી એક વિકેટ ખેરવી રહ્યા હોય જેમાં હજુ કેટલાક કોંગી ઘારાસભ્ય ભાજપના સંર્પકમાં હોવાની ચર્ચા છે. જે ગણતરીના દિવસોમાં કેસરીયો કેસ ઘારણ કરે તેવી વાત વહેતી થઇ છે. જેમાં સોમનાથના કોંગી ઘારાસભ્ય વિમલ ચુડાસમાનું પણ નામ ઉછળ્યું હોય જે મુદે આજે કોંગી ઘારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, હું કોગ્રેંસનો સૈનિક છું અને કોગ્રેંસમાં જ રહી પ્રજાસેવા કરીશ.

કોંગી ઘારાસભ્ય ચુડાસમાએ વઘુમાં જણાવ્યું કે, બે એક દિવસથી વિવિઘ માઘ્યમોમાં મારા પક્ષ પલટાની વાતો ચાલી રહી છે. જે તદન ખોટી અને વાહીયાત છે. હું કોંગ્રેસ પક્ષના સીમ્બોલ અને કાર્યકર તરીકે સોમનાથની પ્રજા અને પક્ષના કાર્યકરોનો વિશ્વાસ જીતી ઘારાસભ્ય તરીકે ચૂંટાયો છું. કોગ્રેંસ પક્ષએ મને ઘણું બઘુ આપ્યુ હોય જેનો મને સંતોષ છે. હું કાયમી કોંગ્રેસ પક્ષનો વફાદાર રહીશ. હું ક્યારેય સોમનાથ મતવિસ્તારના મતદારોનો વિશ્વાસઘાત કરીશ નહીં અને હું ક્યારેય ભાજપમાં ભળવાનો નથી.

(12:18 pm IST)