Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ધ્રોલના જાલીયા દેવાણી રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત

તસ્વીરમાં મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, ૧૦: જામનગરના ધ્રોલ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી રેલ્વે સ્ટેશન નજીક હમાપર ગામના બાબુભાઇ વશરામભાઇએ ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.

તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રોલ સરકારી હોસ્પીટલે ખસેડેલ છે. આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:50 pm IST)