Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

મોરબીના ઇન્દિરાનગરમાં મહિલાનો ગળેફાંસો ખાઈને આપઘાત

શાંતુબેને પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર

મોરબીના ઇન્દિરાનગરમાં રહેતી મહિલાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ઈન્દિરાનગરમાં રહેતા શાંતુબેન લક્ષ્‍મણભાઇ સોલંકી (ઉ.૫૫)એ બપોરે પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને મહિલાના આપઘાત પાછળનું કારણ શોધવા માટે તપાસ આદરી છે

 

(12:55 am IST)