Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

વિરમગામ અમદાવાદ સાણંદ હાઇવે પર ત્રીપલ અકસ્માતઃ ડ્રાઇવરનું મોત : ૧૫ કિ.મી. સુધી ટ્રાફિકજામ સર્જાયો

વઢવાણ તા. ૧૦ : વિરમગામ સાણંદ હાઈવે પર વિરોચનનગર ગામ પાસે વહેલી સવારે લોડીંગ ટ્રક ગાંધીધામથી અમદાવાદ તરફ જઇ રહેલ હતા તે દરમિયાન ગમખ્વાર અકસ્માત થતા ત્રણેય ટ્રકોમાં ગમખ્વાર અકસ્માત થવા પામ્યો હતો. અકસ્માત થતા ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું તેની લાશ ને બહાર કાઢવા માટે સાણંદ જીઆઇડીસી પોલીસ પાંચથી છ હાઇડ્રો ક્રાઇમ દ્વારા લાશને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. સાણંદ જીઆઇડીસી પોલીસ સહિત ૧૦૮ ટીમ દ્વારા હાલ ઘટના સ્થળે સ્ટેન્ડબાય વધુ ટ્રક ડ્રાઈવરમાં કેટલી લાશો બહાર નીકળે છે ટ્રક નીકળ્યા બાદ માલૂમ થશે.

હાલમાં વિરમગામ પાસે સર્જાયેલા અકસ્માતના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો છે. જેના કારણે વિરમગામ માલવણ હાઇવે ઉપર ૧૦ થી ૧૫ કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો છે રોડની બન્ને સાઈડ બંધ થઈ ગઈ છે ત્યારે હાલમાં ટ્રકના ડ્રાઇવરનું ટ્રકની અંદર જ કપાઇ જવાથી મોત નીપજયું છે ત્યારે આ ટ્રકને કટર દ્વારા કાપી અને જેનો મૃતદેહ બહાર કાઢવાની વિરમગામ પોલીસે તજવીજ હાથ ધરી છે.

જયારે ટ્રાફિક પૂર્વવત કરવા માટે આ ટ્રક ખસેડવા માટે પોલીસ દ્વારા ક્રેન મંગાવવામાં આવી છે અને ક્રેન દ્વારા ટ્રકો ખસેડી અને ટ્રાફીકને પૂર્વવત કરાવાશે.

આ સર્જાયેલા અકસ્માતની હારમાળામાં એક ડ્રાઇવરનું ઘટના સ્થળ પર મોત થયું છે જયારે બેને વિરમગામ દવાખાને ખસેડવામાં આવ્યા છે.

(1:11 pm IST)